નવું જાણવા, ઘણું માણવા... માઉસને આપો પાંખો!
| આપણું વાંચન ઘટી ગયું છે એવી એક સામાન્ય અને ઘણે અંશે સાચી ફરિયાદ છે. એનો ઉપાય શું હોઈ શકે? સાદો જવાબ એ કે ઉત્તમ સાહિત્ય સુલભ બનાવવાનો પ્રયાસ કરવો. એ જ હેતુથી, બાળકોથી માંડીને વડીલોને ધ્યાનમાં રાખીને ‘સાયબરસફર’માં શરૂ કર્યો છે આ વિભાગ. ફુરસદના સમયે માણો, વિચારોને નવો પવન અને વાતચીતમાં નવું વજન ઉમેરતું સાહિત્ય - શ્રેણીબદ્ધ પ્રકરણોના સ્વરૂપમાં. |
![]() | ‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણસ ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’ ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક... |
![]() | ગાંધીજી વિશે વાંચ્યા કે જાણ્યા વિના તેમના વિશે અભિપ્રાયોઆપવાનું હવે સામાન્ય થઈ પડ્યું છે. નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત, શ્રી કુદસિયા જૈદી દ્વારા લિખિત અને શ્રી જિતેન્દ્ર ઠા. દેસાઈ દ્વારા અનુવાદિત ‘ગાંધીબાપુ’ પુસ્તક બાળકોને સરળ ભાષામાં ગાંધીજીવનની ઝાંખી કરાવે છે. લેખક, અનુવાદક અને પ્રકાશકના સાદર ઋણસ્વીકાર સાથે... |